પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તે તમામ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી છે જેમણે ફરજ બજાવવા દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા હતા. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; “પોલીસ સ્મારક દિવસ પર, હું કાયદો અને વ્યવસ્થા જાળવવા અને જરૂરિયાતના સમયે અન્ય લોકોને મદદ કરવા માટે આપણા પોલીસ દળોના ઉત્કૃષ્ટ પ્રયત્નોનો સ્વીકારવા માગુ છું. હું તે તમામ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે ફરજ બજાવવા દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે. “






