
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલા સાથે મુલાકાત કરી અને કહ્યું કે ટેક્નોલોજી અને ઈનોવેશનમાં ભારતની પ્રગતિ ટેકની આગેવાની હેઠળના વિકાસના યુગની શરૂઆત કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું; ”તમને મળીને આનંદ થયો @satyanadella. ટેક્નોલોજી અને ઇનોવેશનમાં ભારતની પ્રગતિ ટેકની આગેવાની હેઠળના વિકાસના યુગની શરૂઆત કરી રહી છે. અમારા યુવાનો એવા વિચારોથી ભરેલા છે જે ધરતીને બદલવાની ક્ષમતા ધરાવે છે.
