સુરત જિલ્લાના પલસાણા ખાતે આયોજિત ‘સુરત પ્રશિક્ષણ વર્ગ’માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલજી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો અને ઉત્સાહી કાર્યકર્તાઓ સહભાગી થયા હતા.

કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલજી એ કાર્યકર્તાઓને સંગઠનની મજબૂતી અને રાષ્ટ્રનિર્માણમાં તેમની ભૂમિકા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને સમર્પિત ભાવે કામ કરવા આહ્વાન કર્યું હતું. આ સાથે જ તેમણે જળ સંચય અને ‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત પાણીના ટીપે-ટીપાંના બચાવ અંગે લોકોમાં જાગૃતિ લાવવા પર ખાસ ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રશિક્ષણ અભિયાન ના સંયોજક શ્રી કે સી પટેલ, શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ તથા ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.