
ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ મહામંત્રી અને વડોદરા ના પ્રભારી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સાથે આજ રોજ શહેર ભાજપ પ્રમુખ ડો વિજયભાઈ શાહ,મહામંત્રીશ્રીઓ શ્રી સુનિલભાઈ સોલંકી,શ્રી જશવંતસિંહજી સોલંકી, શ્રી રાકેશભાઈ સેવક ની બેઠક થઇ હતી. જેમાં વડોદરા શહેર ના સંગઠન માળખાને વધુ મજબૂત કરવા વોર્ડ દીઠ વોર્ડ પ્રભારીશ્રીઓ ની નિયુક્તિ કરવામાં આવી છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલજી દ્વારા વર્તમાન કોરોનાની મહામારી માં સંગઠન ના કાર્યકર્તાઓ ને “મારુ પેજ …કોરોના મુક્ત પેજ ” નું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે શહેર પ્રમુખ ડો વિજયભાઈ શાહ ની સીધી દેખરેખ હેઠળ દરેક વોર્ડ માં પેજ કમીટી સુધી આપેલા આ કાર્ય ને મજબૂતાઈ થી કરાવવામાં તથા પાર્ટી ના સંગઠન અને કાર્યક્રમો હાથ ધરવામાં આ ૧૯ વોર્ડ ના વોર્ડ પ્રભારીશ્રીઓ ની અહમ ભૂમિકા રહેશે.
લી. સત્યેન કુલાબકર મીડિયા ઇન્ચાર્જ