
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષાઢી એકાદશી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “અષાઢી એકાદશીના શુભ પ્રસંગે સૌને મારી શુભેચ્છાઓ. આ વિશેષ દિવસે આપણે ભગવાન વિઠ્ઠલને પ્રાર્થના કરીએ છીએ કે આપણને પુષ્કળ ખુશી અને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપે. વારકરી આંદોલન આપણી પરંપરાઓનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે અને સંવાદિતા અને સમાનતા પર ભાર મૂકે છે.”
