
સંદીપ વ્યાસ મોરબી ,નાની બાળાઓ માટેના ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે જેમાં પરંપરા મુજબ બાળકીઓ મોરાવ્રત રાખીને ઝવેરાંનું પૂજન કરતી હોય છે ત્યારે મહિલા મોરચાની બહેનો પૂજન સ્થળે પહોંચી બાલિકાઓને પ્રોત્સાહિત કરી હતી મોરબીના સ્ટેશન રોડ પરના જડેશ્વર મંદિર ખાતે નાની બાલિકાઓ ઝવેરા પૂજન માટે પહોંચી હોય જ્યાં મોરબી શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નિર્મળાબેન હડીયલની આગેવાની હેઠળ મહિલા મોરચાની બહેનોએ બાલિકાઓને વેફર અને કીટ આપીને પ્રોત્સાહિત કરી હતી
