





ભાજપ સુરત મહાનગર કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના આવનારા સંગઠનાત્મક કાર્યક્રમોના અનુસંધાને તથા “પ્રાથમિક સદસ્યતા અભિયાન” અને #HarGharTiranga અભિયાનના સંદર્ભમાં બેઠક યોજાવવામાં આવી. આ બેઠકમાં ભાજપ સુરત મહાનગરના અધ્યક્ષ આદરણીય શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સાહેબ અને શાસક પક્ષ નેતા શ્રી અમિતસિંહ રાજપુતજી તથા ઉપપ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ કોરાટજી, વિશેષ ઉપસ્થિત રહ્યા અને આગામી કાર્યક્રમો વિષય માર્ગદર્શન આપ્યું. લઘુમતી મોરચાના પ્રમુખશ્રી અકરમભાઈ શાહ અને મહામંત્રી શ્રી બબ્બુભાઈ શેખ, મહામંત્રી શ્રી આસીફભાઈ રંગુની, પ્રદેશ કારોબારી સભ્ય શ્રી હયાતખાન માસ્તર, પ્રદેશ કારોબારી સભ્ય શ્રી અનીસભાઈ હકીમ, લઘુમતી મોરચાના મહાનગરના હોદેદારો, મહાનગરના કારોબારી સભ્યો, વોર્ડ પ્રમુખ/મહામંત્રીશ્રીઓ અને સાથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

