
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;લોકનાયક જેપીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. ભારત માટે તેમનું યોગદાન અજોડ છે. તેમણે લાખો લોકોને રાષ્ટ્ર નિર્માણ માટે પોતાને સમર્પિત કરવા પ્રેરણા આપી હતી. તેમને લોકશાહી આદર્શોના મશાલ વાહક તરીકે હંમેશા યાદ કરવામાં આવશે.”

