

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ સુરતના સંયુક્ત ઉપક્રમે તબીબીક્ષેત્રના નામાંકિત તબીબો અને પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક જગતના પત્રકારો વચ્ચે પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.શહેરના મજુરા ગેટ સ્થિત દયાળજી આશ્રમ ખાતે યોજાયેલા પરિસંવાદમાં ગૃહરાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના વિકાસમાં પત્રકારમિત્રોનું પણ યોગદાન રહ્યું છે. કોરોનાના કપરાકાળ દરમિયાન પત્રકારોએ સમાજને જાગૃત કરવાનું જયારે તબીબોએ દર્દીઓની સેવા કરવાનું કાર્ય કર્યું હતું. શહેરની સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની ચિંતા કરીને જરૂર પડે ત્યારે જાગૃત પ્રહરી તરીકેની ભુમિકા બખૂબીથી પત્રકારોએ નિભાવી છે.સુરત શહેરના વિકાસમાં આવનારા પાંચ વર્ષના પ્રોજેકટોનો ચિતાર આપતા તેમણે કહ્યું કે, ડુમસ બીચનું ડેવલપમેન્ટ તથા તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટને સાકારિત કરવા તેમજ શહેરની નામાંકિત સંસ્થાઓને રાહતદરે જમીન આપીને આરોગ્યની વધુને વધુ સુવિધાઓ ઉભી થાય ઉપરાંત પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની મર્યાદા ૧૦ લાખ સુધી લઈ જવાની દિશામાં સરકાર કાર્ય કરી રહી છે. આગામી દિવસોમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે રસ્તા પર ઓવરસ્પીડથી વાહન ચલાવનારાઓની સામે કડક પગલાઓ લેવામાં આવનાર હોવાનો નિર્દેશ આપીને વ્યાજખોરોની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું મંત્રીશ્રીએ ઉમેયું હતું. આ અવસરે IMA સેક્રેટરી ડો.વિનેશ શાહે જણાવ્યું હતું કે, તબીબો અને પત્રકારો કપરી પરિસ્થિતિ વચ્ચે કાર્ય કરતા હોય છે. બન્ને એકબીજા વચ્ચે રહેલી ત્રુટીઓને કંઈ રીતે દુર કરી શકાય તેમજ મુશ્કેલીઓમાં પરસ્પર સાથે મળીને સમસ્યાનું સમાધાન લાવી શકાય તે દિશામાં દિશામાં કાર્ય કરવા પર ભાર મુકયો હતો. તેમણે કહ્યું કે, આવનારા ભવિષ્યમાં કેવી રીતે પત્રકારો અને ડોકટરો સાથે મળીને સમાજમાં સારૂ યોગદાન આપી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ અવસરે સિવિલના ટીબી વિભાગના હેડ અને આઈ.એમ.એ.ના જોઈન્ટ સેક્રેટરી પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, તબીબો અને મીડિયા વચ્ચે મજબૂત કમ્યુનિકેશન હોવું જરૂરી છે. તબીબોએ મીડિયાથી દુર ન ભાગતા તેમની સાથે રિલેશન રાખીને સાચી વાત રજુ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે IMA પ્રમુખ ડૉ.યોગેશકુમાર દેસાઈ, જર્નાલીસ્ટ ફેડરેશન પ્રમુખ શ્રી મનોજ શિંદે અને જનરલ સેક્રેટરીશ્રી તેજશ મોદી, ખબર છે.ડોમ કોમના વિરાંગ ભટ્ટ, IMA સેક્રેટરી ડો.વિનેશ શાહ, પ્રશાંત દેસાઈ તેમજ મોટી સંખ્યામાં શહેરના નામાંકિત તબીબો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા
.સંજય ચુડગરબ્યુરોચીફ. સુરત