સંતરામપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે પશુપાલન શિબિર તેમજ પ્રદર્શનનું આયોજન

મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબની પ્રેરક ઉપસ્થિતિ

કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે સંતરામપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે આયોજિત મહીસાગર જીલ્લા પંચાયત,સંતરામપુર તાલુકા પંચાયત અને પશુ દવાખાના દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિર તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પશુપાલક ખેડૂતો અને મહિલાઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી તેમજ માર્ગદર્શન આપ્યું. પશુપાલન થકી અનેક પરિવારો આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે. ગુજરાત સરકારની ખેડુત, કૃષિ અને પશુપાલન ક્ષેત્ર માટેની લાભદાયક નીતિઓ તથા યોજનાઓને લીધે સહકાર, ડેરી તથા પશુપાલન ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે અને તેના દ્વારા હજારો પરિવારોને રોજગારી પ્રાપ્ત થઇ છે. ત્યારે આ કાર્યક્રમ મા સાથે સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી જેમિની બેન પટેલ,સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ,સંતરામપુર મામલતદાર શ્રી, રથના ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ પટેલ, સહીત અધિકારી ગણ, સ્ટાફ ગણ, અને મોટીસંખ્યામાં, ગ્રામજનો, તેમજ કર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM