

અજય ખત્રી
ફોટો:સતિષ શનિક્ષર્યા
માંડવી :૩૦/૦૩
ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પુર્ણતિથિ નિમિતે માંડવી નગર સેવા સદન દ્વારા જન્મ સ્થળે પુષ્પાંજલિ કાર્યક્રમ સાથે કોરીના વાયરસને નાબુદ કરવા માટે સેનેટાઈઝર છંટકાવ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બંદર રોડ પર સવારે ૧૦:૦૦ કલાકે નગર અધ્યક્ષા હેતલબેન સોનેજીના પ્રમુખ સ્થાને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શ્યામજી . કૃષ્ણવર્મા અમર રહો , ભારત માતાકી જય અને વંદે માતરમની જય ઘોષ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પૂર્વ ઉપાધ્યક્ષા અને નગર સેવિકા ગીતાબેન ગોર , જિજ્ઞાબેન હોદાર , જોશનાબેન સેંઘાણી , નિમેષ દવે , લક્ષ્મીબેન મારવાડી , લક્ષ્મીબેન વાડા , પદમાબેન ફુફલ , મંજુલાબેન કેરાઈ , રાજેશ કાનાણી , હનીફ જત , વિશાલ ઠકકર , પિયુષ ગોહિલ , પુજાબેન મોતીવરસ , પારસ સંઘવી , પારસ માલમ , પુર્વ નગરપતિ અરવિંદ ગોહિલ , દિનેશ હિરાણી , નરેન સોની , હેમાંગ કાનાણી , હેડ કલાર્ક કાનજી શિરોખા , ચેતન જોષી , ભુપેન્દ્ર સલાટ , બાલારામ કિંજોડા સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહી . પુષ્પાંજલિ અર્પણ કરેલ હતી ત્યારબાદ તેમના જન્મ સ્થળે પણ પુષ્પાંજલિ અર્પણ કરેલ.