

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્કલા દિબાસા પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી છે.એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઉત્કલા દિબાસાના વિશેષ પ્રસંગે શુભેચ્છાઓ. હું ઓડિશાની અનોખી સંસ્કૃતિને નમન કરું છું. ઓડિશાના લોકોએ ભારતની પ્રગતિમાં મોટો ફાળો આપ્યો છે. રાજ્યની જનતાને ખુશી અને સારું સ્વાસ્થ્ય મળે તેવી પ્રભુને પ્રાર્થના”