સુરત મહાનગરપાલિકા દ્વારાભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરને વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

સુરત મહાનગરપાલિકા દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે યોજાયેલ ડૉ.બાબાસાહેબ આંબેડકરને વંદના કાર્યક્રમ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૩૦ મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા માનદરવાજા , રીંગરોડ , સુરત ખાતે ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરને વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . જેમાં શહેરના પ્રથમ નાગરિક માન.મેયર શ્રીમતી હેમાલી બોધાવાલા , સાંસદશ્રી સી.આર.પાટીલ , ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી , સંગીતાબેન પાટીલ , વિવેકભાઈ પટેલ , વિનુભાઈ મોરડીયા , પ્રવિણ ઘોઘારી , ડે.મેયરશ્રી દિનેશભાઈ જોધાણી , સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી પરેશ પટેલ , શાસક પક્ષના નેતાશ્રી અમિતસિંગ રાજપૂત , સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષશ્રીમતી પૂર્ણિમાબેન દાવલે , શહરે ભાજપ પ્રમુખશ્રી નિરજનભાઈ ઝાંઝમેરા મ્યુનિ.સદસ્યશ્રીઓ , વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ , મ્યુનિસિપલ સદસ્યશ્રીઓ , અધિકારીશ્રીઓ અને શહેરની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ અધિકારીશ્રીઓએ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી ચઢાવી વંદના કરી હતી .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *