તોકેટવાવાઝોડા ની અસરને સાબરકાંઠા જિલ્લા ના ખેડૂતો અને લોકોને ભારે નુકસાની.. પ્રાંતિજ તલોદ પુંસરી સહિત ના વિસ્તારમાં માં બાજરી સહિતના પાકો જમીનદોસ્ત..


અરવલ્લીતોકેટ વાવાઝોડા ના કારણે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગામડાઓમાં  ખેતી અને અન્ય સ્થળોએ ભારે તાંબાહી..સર્જી દીધી છે.ખેડૂતોએ વાવેતર કરેલ તમામ પાકો જમીન દોસ્ત થઇ ગયા છે વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે.કાચા મકાનના પતરા ઉડી ગયા છે મકાનોને ભારે નુકસાની પહોંચી છે. કેરી ચીકુ સહિતના બાગાયતી પાકો પણ  જમીન દોસ્ત થઇ ગયા છે.વીજપોલ પણ પડી ગયા છે વિચાર તૂટી પડ્યા છે તો પશુઓ માટે બનાવાયેલ પતરાના શેડ પણ ઉડી ગયા  છે પ્રાંતિજ તાલુકાના રામપુરા નનાનપુર સહિતના ગામોમાં ઉભા પાક તેમજ અન્ય ઘણી બધી નુકશાની પહોંચી છે બે દિવસ પહેલાં ખેતરોમાં લહેરાતો બાજરી સહિતના પાકો વાવાઝોડા ના એકજ ઝાટકે જમીનદોસ્ત થઈ જતાં હવે ઘાસચારો કે બાજરી નો પાક પણ કોઈજ કામનો રહેવા ના પડતા  ખેડૂતો બે હાલ બની ગયા છે.. ખેડૂતો અનૂ જનતાને  પોતાના હામી ગણાવતી સરકાર ખેડૂતોને કંઈક મદદરૂપ થાય એવી લાગણી ના શૂર સાબરકાંઠા જિલ્લાના અને પ્રાંતિજ તાલુકા ના લોકો ખેડૂતો ની માંગણી છે..આ લખાય છે ત્યાં સુધી સત્તાવાળાઓ એ ખેડૂતો અને લોકોની કોઈ જ ખબર પૂછી નથી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *