ગ્રામપંચાયતોમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ”નો ઠરાવ પસાર કરાશે.
આઝાદીના અમૃત્ત મહોત્સવ અંતર્ગત તા.૧ થી ૩૧ ઓકટો. દરમિયાન રાજ્યમાં ‘ક્લીન ઈન્ડિયા’ અભિયાન’નો પ્રારંભ થયો છે, આ જનઆંદોલનમાં ઓક્ટોબર મહિનાના દરેક દિવસોમાં જનભાગીદારી સાથે “પ્લાસ્ટિક મુક્ત” અને ‘સ્વચ્છ ભારત’ના સ્વપ્ન સાકાર કરવાં સરકારી કચેરી, બિનસરકારી, સામાજિક- શૈક્ષણિક સંસ્થાઓ જોડાશે. આ કાર્યક્રમમાં તા. બીજી ઓક્ટોબરના રોજ રાજ્યની ૧૪,૨૫૦ ગ્રામપંચાયતોમાં આયોજિત ગ્રામસભામાં ગ્રામપંચાયતોમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ”નો ઠરાવ પસાર કરાશે. તા.૨ થી ૩ ઓક્ટો.- ધાર્મિક સંસ્થાઓ અને તા.૪ થી ૫ ઓક્ટો. ના રોજ કોર્પોરેટ સેક્ટર સ્વચ્છતા ઝુંબેશ ઉપાડશે. તા. ૬ થી ૭ ઓક્ટો – રમતવીરો, તા.૮-૯ ઓક્ટો.- રેલવે અધિકારીઓ અને સ્ટાફ, તા.૧૦ ઓક્ટો.-પોલીસ વિભાગ, મીડિયા અને CAPF, તા.૧૧-૧૨ ઓક્ટો.- રાજકીય અગ્રણીઓ, તા.૧૩-૧૪ ઓક્ટો.-NGO અને સિવિલ સોસાયટી, તા.૧૮-૧૯ ઓક્ટો.- વ્યાપારી સમુદાય/વ્યાપાર મંડળો, તા.૨૦ થી ૨૧ ઓક્ટો.-મહિલા જૂથો, તા.૨૨-૨૩ ઓક્ટો.- શિક્ષકો, તા.૨૪ ઓક્ટો.- ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીઝ, તા.૨૫-૨૬ ઓક્ટો.- શિક્ષકો અને વન અધિકારીઓ, તા.૨૭-૨૮ ઓક્ટો.- ટેલિકોમ અને પોસ્ટલ અધિકારીઓ, તા.૨૯-૩૦ ઓક્ટો.- જાહેર સાહસોના અધિકારીઓ અને સ્ટાફ, તા.૩૧ ઓક્ટો.- નહેરૂ યુવા કેન્દ્ર, NSS અને અન્ય સંસ્થાઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે.


