રિપોર્ટ:- મહેશ.ડી.સિંધવ
મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરાયું લોકાપર્ણ. મોરબીના શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે સરકારના અનુદાનથી આધુનિક અટલ ટીકરીંગ લેબનું નિર્માણ કરવામાં આવ્યું હોય જે પ્રસંગે ઉદ્ઘાટન સમારોહમાં નીલકંઠદાસ સ્વામી, નિર્ગુણજીવનદાસ સ્વામી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને ડીઈઓ બી એમ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા મોરબીના સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે આધુનિક લેબનું નિર્માણ કરાયું છે ત્યારે ગુરુકુળની શિક્ષણ પ્રલાણી અને વિદ્યાર્થીની સામાજિક શૈક્ષણિક ભાગીદારીની મુક્તમને પ્રસંશા કરવામાં આવી હતી આ પ્રસંગે જ્ઞાનજીવનદાસ સ્વામીએ આર્શીવચન પાઠવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ કર્યું હતું

