વેરાવળ શહેરનો ૩૫ વર્ષ જૂનો પ્રશ્ન હલ થશે-પિયુષભાઈ ફોફંડી, પ્રમુખ, નગરપાલિકા
વેરાવળ શહેરના કોળીવાડા વિસ્તારના ૧૦ આસામીઓએ નગરપાલિકાના જુની કોર્ટથી રામભરોસા પોલીસ ચોકી સુધી જતા રોડ પર આવેલા પોતાની માલિકીના મકાનો જાહેર હિતમાં ખસેડવા સમંત થયા હતા. નગરપાલિકા દ્વારા આ તમામ આસામીઓને રહેણાંક માટે જમીન આપવમાં આવી હતી. આ જમીનમાં નવા મકાન બનાવવા માટે રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કોળીવાડા વિસ્તારના આ મકાનધારકોની અપાયેલી જમીન પર આવાસ નિર્માણ માટે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખશ્રી પિયુષભાઇ ફોફંડીએ જણાવ્યું કે, કોળી વાળાના આ મકાનોનો પ્રશ્ન લગભગ ૩૫ વર્ષ જૂનો પ્રશ્ન હતો. ભગવાન સોમનાથ દાદાની કૃપાથી એ પ્રશ્ન પણ હાલ થવા જઈ રહ્યો છે. જેથી સમગ્ર વેરાવળના નગરજનોને આ બન્ને રસ્તા ખૂબ પહોળા થવાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થશે. આ રસ્તાઓ એક તપેશ્વરથી સીધો ટાંકીમાંથી સીધો મુખ્ય રસ્તાને જોડશે અને બીજો કોળી વાળાના ૧૦ મકાનો નીકળશે તો રસ્તો ૩૦ ફૂટ પહોળો રસ્તો મળશે.આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, વેરાવળ નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઈ વિઠલાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી દેવાભાઈ ધારેચા, મોટા કોળીવાડા ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિરજીભાઈ જેઠવા, અગ્રણી સર્વ શ્રી ભરતભાઈ ચોલેરા, શ્રી સામતભાઈ, નગરપાલિકાના સભ્યો સાથે વેરાવળ કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.





