મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ખાતે જળ સંચયના ભગીરથ કાર્યનું સંતરામપુર વિધાનસભા ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે રૂબરૂ નિરીક્ષણ કર્યું

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ખાતે જળ સંચયના ભગીરથ કાર્યનું સંતરામપુર વિધાનસભા ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે રૂબરૂ નિરીક્ષણ કરવાનો અવસર મળ્યો.

આ ગામના ઉત્સાહી યુવાનો, વડીલો, બહેનોએ આશરે ₹૪.૫૦ લાખ જેટલી માતબર રકમ એકઠી કરી ‘ધોળકિયા ફાઉન્ડેશન’માં જમા કરાવી છે. ગામલોકોના આ અદભુત સમર્પણને બિરદાવીને ફાઉન્ડેશન દ્વારા પણ આ રકમ બમણી કરીને ગામના વિકાસ માટે આપવામાં આવી છે.

આ સહયોગથી હવે ગામની આસપાસના ત્રણ મોટા તળાવોને ઊંડા ઉતારવાનું પ્રશંસનીય કાર્ય હાથ ધરાશે, જેનો સીધો લાભ આવનારા સમયમાં સમગ્ર પંથકને મળશે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

આ તકે મહીસાગર જિલ્લા પ્રમુખશ્રી દશરથસિંહ બારીયા,બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ,જિલ્લા મહામંત્રીશ્રી ચિંતનભાઈ પટેલ,તેજસભાઈ શાહ,કમલેશભાઈ પાદરીયા, સહીત ગામના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM