ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 17 જાન્યુઆરી 2022 ના રોજ આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ શ્રીમતી નીલમબેન વ્યાસ આજે વિઘિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો છે. પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીના વરદ હસ્તે શ્રીમતી નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડયો છે.




