પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6:30 વાગ્યે કેનેડામાં ઇન્વેસ્ટ ઇન્ડિયા પરિષદમાં મુખ્ય સંબોધન કરશે.
ફોરમનો હેતુ કેનેડિયન બિઝનેસ સમુદાયને ભારતમાં રોકાણ કરવાની તકને પ્રત્યક્ષ સ્વરૂપનો પરિપ્રેક્ષ્ય આપવાનો છે જે ભારતને રોકાણના ગંતવ્યસ્થાન તરીકે દર્શાવશે.પરિષદમાં બેંકો અને વીમા કંપનીઓ, રોકાણ ભંડોળ, ઉડ્ડયન, ઇલેક્ટ્રોનિક્સ અને મેન્યુફેક્ચરીંગ જેવા ક્ષેત્રોની કંપનીઓ, સલાહકાર કંપનીઓ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ સહભાગી થશે એવી અપેક્ષા છે.

