

રિપોર્ટ : બીના પટેલ
₹ ૭૯ લાખના ખર્ચે મંજુર થયેલ વટાદરા સોલણીયા વિસ્તાર થી જંત્રાલ નોન પ્લાન રસ્તાના કામનું ખાતમુહૂર્ત ગોકુલધામ આશ્રમ ગાદીપતી આચાર્યશ્રી ભાનુપ્રસાદ જી ની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલે કર્યું હતું.
આ પ્રસંગે સાથે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા, જી.પં સદસ્ય વિનોદભાઈ ઠાકોર, તા.પં સદસ્ય રમેશભાઈ ડોઢિયા અને નીલકંઠભાઈ સોલંકી, સરપંચ રણજીતસિંહ, લાલજીભાઈ રબારી, નિકુંજભાઈ શાહ, સુરેશભાઈ પુનડિયા, કમલેશભાઈ ચૌહાણ, અક્ષયભાઈ પંડ્યા સહિત વિસ્તારના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
