




અંત્યોદયના સર્વોચ્ય લક્ષ્ય સાથે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના દૂરગામી નેતૃત્વમાં શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી નું આજે દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ પર પહોંચવું એ દર્શાવે છે કે ભાજપ સરકાર સૌના સાથ અને સૌના વિકાસ માટે દૃઢ સંકલ્પબદ્ધ છે. ભારતીય લોકશાહીના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ માટે NDA ના ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મૂર્મુજી ચૂંટાતા તેની ભવ્ય ઉજવણી માટે આજરોજ વાલોડ ચાર રસ્તા ખાતે ઉમંગભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી આરતીબેન ભીલ, તમામ આગેવાનો, કાર્યકર્તાઓ, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સર્વે મોરચાના તમામ હોદેદારો, ચૂંટણી લડેલા ઉમેદવાર, સહકારી આગેવાનો તેમજ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જશ્રીઓ હાજર રહ્યા હતા.
