પ્રધાનમંત્રીનો નાગરિકોને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમની શ્રદ્ધાંજલિ ડિજિટલ જ્યોત પર શેર કરવા અનુરોધ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમની શ્રદ્ધાંજલિ ડિજિટલ જ્યોત પર શેર કરવા અને આઝાદી કા અમૃત મહોત્સવને મજબૂત કરવા વિનંતી કરી છે. ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું; “આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકોને વિશેષ શ્રદ્ધાંજલિ! ડિજિટલ જ્યોત ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે અને તમને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતાનો હૃદયપૂર્વકનો સંદેશ શેર કરવા સક્ષમ બનાવે છે.” “દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં સ્કાય બીમ લાઇટ લગાવવામાં આવી છે. દરેક શ્રદ્ધાંજલિ ડિજિટલ જ્યોતની રોશનીને વધુ તીવ્ર બનાવશે. આ અનોખા પ્રયાસમાં ભાગ લો અને આઝાદી કા અમૃત મહોત્સવને મજબૂત કરો.”

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM