ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતી સુગમ સંગીતના વિખ્યાત ગાયિકા કૌમૂદીબહેન મૂન્શીના અવસાન અંગે દુ:ખની લાગણી વ્યકત કરી છે. તેમણે તેમના શોક સંદેશમાં જણાવ્યું છે કે, ગુજરાતી સુગમ સંગીતના શિરમોર ગાયિકા કૌમૂદીબહેને પોતાની સંગીત કલાથી દરેક ગુજરાતીના હદયમાં સ્થાન મેળવ્યું હતુ. રાજયપાલશ્રીએ કૌમૂદીબહેનના આત્માની ચિરશાંતિ માટે પ્રાર્થના સાથે તેમના પરિવારજનો પ્રત્યે શાંતના વ્યક્ત કરી છે.

