પીએમએ વિશ્વ હાથી દિવસ પર હાથી સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી છેલ્લા 8 વર્ષમાં હાથી અનામતની સંખ્યામાં વધારો થવા પર પીએમ ખુશ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ હાથી દિવસના અવસરે હાથી સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ છેલ્લા 8 વર્ષમાં હાથીઓના અનામતની સંખ્યામાં વધારો થવા પર પણ ખુશી વ્યક્ત કરી હતી.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“#WorldElephantDay પર, હાથીનું રક્ષણ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. તમને એ જાણીને આનંદ થશે કે એશિયાના તમામ હાથીઓમાંથી લગભગ 60% ભારતમાં રહે છે. છેલ્લા 8 વર્ષમાં હાથી અનામતની સંખ્યામાં વધારો થયો છે. હું હાથીઓના રક્ષણમાં સામેલ તમામ લોકોને પણ બિરદાવું છું.”

“હાથી સંરક્ષણમાં મળેલી સફળતાઓને માનવ-પ્રાણી સંઘર્ષને ઘટાડવા અને પર્યાવરણીય ચેતનાને આગળ વધારવામાં સ્થાનિક સમુદાયો અને તેમના પરંપરાગત શાણપણને એકીકૃત કરવા ભારતમાં ચાલી રહેલા મોટા પ્રયાસોના સંદર્ભમાં જોવી જોઈએ.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *