
આદરણીય અટલજીએ તેમના જીવનની દરેક ક્ષણ માતા ભારતીનું ગૌરવ પુનઃસ્થાપિત કરવા માટે ખર્ચી નાખી
તેમણે ભારતીય રાજનીતિમાં ગરીબ કલ્યાણ અને સુશાસનના નવા યુગની શરૂઆત કરી અને સાથે જ વિશ્વને ભારતની હિંમત અને તાકાતનો અહેસાસ કરાવ્યો, તેમની પુણ્યતિથિ પર તેમને વંદન.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘સદૈવ અટલ’ સ્મારકની મુલાકાત લઈને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તેમના ટ્વીટમાં શ્રી અમિત શાહે કહ્યું કે આદરણીય અટલજીએ તેમના જીવનની દરેક ક્ષણ મા ભારતીનું ગૌરવ પુનઃસ્થાપિત કરવા માટે ખર્ચી નાખી. તેમણે ભારતીય રાજકારણમાં ગરીબ કલ્યાણ અને સુશાસનના નવા યુગની શરૂઆત કરી અને સાથે જ વિશ્વને ભારતની હિંમત અને તાકાતનો અહેસાસ કરાવ્યો. આજે તેમની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ.