

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા માં કહાનવાડી સ્થિત ઉત્તર બુનિયાદ પાછળ થઇ ને રાધેશ્યામપુરા અજિતભાઈ ખોડાભાઈના વિસ્તાર સુધીના રોડ, કાંઠારીયા એપ્રોચ થી પઢીયારપુરા થી જોડીને કાંઠારીયા સુંદણ એપ્રોચ રોડ તથા સુંદણ ગામે ભાથીજી મંદિર થી હડિયા વિસ્તાર થઈ લને આસોદાર વાસદ હાઇવે ફાટક પાસે જોડાતા રોડનું સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના વરદ્દ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંકલાવ તાલુકા પ્રમુખ શ્રી નિરુભા રાણા, મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલ, જીલ્લા સંઘઠંનના ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, જીલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી લીલાબેન ગુલાબસિંહ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ગામ સરપંચશ્રીઓ તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
