

અંબાજી જતા પદયાત્રીઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપની પણ વ્યવસ્થા
રોટરી ક્લબ હિંમતનગર દ્વારા અંબાજી જતા પદયાત્રી ઓ માટે વિસામો સ્નેહ સેવા કુટીર નો પ્રારંભ માન.શ્રી રજનીભાઇ પટેલ પ્રભારી સાબકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જે ડી પટેલ. સુશ્રી કોશલ્યાકુવરબા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખશ્રી હિમતનગર શહેર પ્રમુખ, રોટરી કલબ હિંમતનર પ્રમુખ રોટ. અમૃત પુરોહિત, મંત્રી રોટ. રમેશ પટેલ ટ્રેનર રોટ.મેહુલ કોઠારી, પ્રોજેક્ટ ચેરમેન રોટ. ગોપાલસિહ રાઠોડ, પ્રોજેક્ટ કો ચેરમેન ડૉ સંજય વેદિયા, આકાશ બ્રહ્મભટ્ટ રોટ.પ્રફુલ વ્યાસ રોટ.કે કે. પટેલ તેમજ મોટી સંખ્યા માં રોટરી કલબ હિમતનગર ના સદસયો હાજર રહ્યા હતા. વિસામામાં બૂંદી ગાઢીયા ચા ની સેવા તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

