

રિપોર્ટ : બીના પટેલ
ખંભાત તાલુકાના લક્ષ્મીપુરા મુકામે ₹ 17 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર ગ્રામપંચાયતના મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા, સભ્યો પ્રકાશભાઈ આચાર્ય, રાજુભાઇ પટેલ (કેનેડી), જી.કિસાન મો.મહામંત્રી નટુભાઈ મકવાણા, તા.ભાજપ મંત્રી ખોડાભાઈ ભરવાડ, બક્ષીપંચ મો.મહામંત્રી રાજેશ ભરવાડ, ઘનશ્યામસિંહ ગોહિલ (લાલભા), ઘનશ્યામભાઈ ભરવાડ, પુનમભાઈ સહિત સ્થાનિક આગેવાનો, આજુબાજુના ગામના સરપંચ અને માજી સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
