
રીપોર્ટ ડાંગ અમરનાથ્ જગતાપ્
આહવા: તા: 2: મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામા જીવ ગુમાવનારા દિવંગત નાગરિકોને ડાંગ વહીવટી તંત્ર દ્વારા પ્રાર્થના સભાનુ આયોજન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર-વ-મેજિસ્ટ્રેટ શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની ઉપસ્થિતમા વહીવટી વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા પ્રાર્થનાસભાનુ આયોજન કરી, શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે, બે મિનિટનુ મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામા હતી.

આ સાથે જ ડાંગ જિલ્લા પંચાયત, ત્રણેય તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતના કર્મીઓ દ્વારા પણ પોતાની ઓફિસોમા મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામા આવી હતી.
