








સુરતવાસીઓ આનંદો….
દેશની રાજધાની દિલ્હી, પૂર્વમાં કોલકાતા અને દક્ષિણમાં બેંગલોર માટે સુરતથી સીધી ફ્લાઈટ સેવા એર એશિયા દ્વારા આજથી જ શરૂ કરાઈ. આ શુભારંભ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી ગ્વાલિયરથી, સાંસદશ્રી અને ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલજી સુરતથી અને સ્વર્ણિમ સંકુલ થી કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાથે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ગાંધીનગરથી વર્ચ્યુઅલ જોડાયા હતા. સિવિલ એવેશનના જોઈન્ટ સેક્રેટરી શ્રી અસંગ્બા ચુબા તથા સેક્રેટરી શ્રી હરિત શુક્લાજી ઉપસ્થિત રહ્યા હતા. જેમ્સ-ઝવેલરી-હીરાઉદ્યોગ, ટેક્ષટાઈલ, પ્રવાસન, શિક્ષણ ક્ષેત્રને વધુ વેગ મળશે.