
અરવલ્લી ટીંટોઈ પોલીસકર્મીઓએ ઇજાગ્રસ્તોને પોલીસ વાહનમાં સારવાર અર્થે ખસેડી માનવતા મહેકાવી
અમિતકુમાર ઉપાધ્યાય- અરવલ્લી
પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે ખાખી વરદી પહેરેલા
પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે
એવા અનેક અનુભવ જરૂરિયાતમંદ વાળા લોકોએ અનુભવ્યા છે મોડાસાના ચારણવાડા નજીક કારે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત બાઈક સવાર પરિવાર ઈજાગ્રસ્ત બનતા રોડ પરથી પસાર થતી ટીંટોઈ પોલીસે ત્રણે ઇજાગ્રસ્તોને પોલીસ જીપમાં સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા પોલીસકર્મીઓ સ્ટ્રેચર પર ઈજાગ્રસ્ત બાળકને મૂકી ઇમરજન્સી રૂમ સુધી દોડી જતા જાણે ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સાર્વજનિકમાં સારવાર લેતા દર્દીઓ અને સ્ટાફે પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી હતી

ટીંટોઈ પોલીસ સ્ટેશનના ASા સતીષ ભાઈ,ધર્મેન્દ્રભાઈ અને રણવીરસિંહ નામના પોલીસકર્મીઓ આરોપીને મોડાસા કોર્ટમાં રજુ કરવા સરકારી જીપ લઇને નીકળ્યા હતામોડાસા – શામળાજી હાઇવે પર ચારણવાડા નજીક કારે બાઈક પર પસાર થતા
પરિવારની કારને ટક્કર મારતા એક બાળક અને બે લોકો ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર કણસી રહેલા હોવાના દ્રશ્યો જોવામળતા પોલીસકર્મીઓનુ લિદ્રવી ઉઠ્યું હતું અને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ આવે તે પહેલા ત્રણે ઈજાગ્રસ્ત લોકોને પોલીસ જીપમાં બેસાડી મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાંખસેડાયા હતા પોલીસકર્મીની મદદ મળતા ઈજાગ્રસ્ત પરિવાર અને લોકોએ પોલીસકર્મીઓની સરના કરી હતી પોલીસકર્મીઓએ માનવતા મહેંકાવી હતી.