

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં અંબાના દર્શન કરવા પગપાળા અંબાજ. જતા પદયાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર દ્વારા ચ-૩ સર્કલ પાસે શરૂ કરાયેલ પદયાત્રી સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી હતી અને પદયાત્રીઓએ મુખ્યમંત્રી સાથે સ્મૃતિ રૂપે તસવીર લીધી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા, સંગઠનના પદાધિકારીઓ, અગ્રણીઓ, નગરસેવકો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.