
ભરૂચ જિલ્લામાં આયોજન કચેરી સભાખંડ ખાતે પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ જનહિતનાં કામો ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓને તાકીદ કરતા જિલ્લા પ્રભારી મંત્રી માનનીય શ્રી કુંવરજીભાઇ હળપતિ સાહેબ આ બેઠકમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા,ધારાસભ્યો સર્વે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી અરૂણસિંહ રણા,શ્રી રમેશભાઈ મિસ્ત્રી,શ્રી ડી કે સ્વામી, શ્રી રીતેષ વસાવા, તાલુકા પ્રમુખશ્રીઓ અને નગરપાલિકા પ્રમુખશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષી, અધિક નિવાસી કલેકટરશ્રી એન આર ધાધલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
