




જીગરભાઈ ઠક્કર ગાંધીધામ
દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદહસ્તે રૂ.૮૫ હજાર કરોડથી વધુની રેલ પરિયોજનાઓના રાષ્ટ્રને સમપર્ણ સાથે ૧૦ વંદે ભારત ટ્રેન સહિત અન્ય રેલ સેવાઓને પ્રસ્થાન સાથેના શુભારંભ પ્રસંગે ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી અને કચ્છ -મોરબી ના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા જી, ઉપસ્થિત રહ્યા સાથે એમણે આજે ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે #Cashless ખરીદી પણ કરી… આ પ્રસંગે,જિલ્લા ભા.જ.પા મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, સાથે જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ, શહેર ભા.જ.પા. ના પ્રમુખ શ્રી પંકજભાઇ ઠક્કર, રેલવે વિભાગના અધિકારીશ્રી – કર્મચારીશ્રીઓ, સામાજિક આગેવાનશ્રીઓ સાથે નગરજનો અને સર્વે કાર્યકર્તાશ્રીઓ,ઉપસ્થિત રહ્યા…
