




સિધ્ધપુર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારના 21 વિકાસના કામો જે રૂપિયા 1.66 કરોડના ખર્ચે થનાર છે, તેનું માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ખાતમુહૂર્ત કર્યુ. આ પ્રસંગે શ્રી ભરતસિંહ ડાભી – સાંસદ, દિનેશભાઈ અનાવડીયા પૂર્વ સાંસદ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, સોનલબેન ઠાકર – ઉપપ્રમુખ નગરપાલિકા, શહેર ભાજપ પ્રમુખ શ્રી જયેશભાઈ પંડ્યા, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, શ્રી મિહિરભાઈ પાધ્યા યુવા મોરચા પ્રમુખ, શ્રી શંભુભાઈ દેસાઇ, શ્રી અંકુરભાઈ, મનીષભાઈ આચાર્ય, કૃપાબેન આચાર્ય, મહામંત્રી – મનીષભાઈ પ્રજાપતિ, કરોબારી ચેરમેન રશ્મીનભાઈ દવે, મહિલા મોરચા પ્રમુખ – સુષ્માબેન રાવલ, પ્રજ્ઞાબેન, સુશીલાબેન, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.