
પ્રધાનમંત્રીએ કટોકટીનો વિરોધ કરનારા લોકોને યાદ કર્યા
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી એ બધા મહાનુભાવોને યાદ કર્યા જેમણે કટોકટીનો પ્રતિકાર કર્યો અને ભારતીય લોકશાહીનું રક્ષણ કર્યું.
કટોકટીની વર્ષગાંઠ પર ટ્વીટની શ્રેણીમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે,“#ડાર્કડેઝઓફ ઈમરજન્સી ક્યારેય ભૂલી શકાતી નથી. 1975 થી 1977ના સમયગાળામાં સંસ્થાઓનો વ્યવસ્થિત વિનાશ જોવા મળ્યો હતો.ચાલો આપણે ભારતની લોકશાહી ભાવનાને મજબૂત બનાવવા, અને આપણા બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રમાણે જીવવા માટે શક્ય તેટલું બધું કરવા પ્રતિબદ્ધ થઈએ.આ રીતે કોંગ્રેસે આપણા લોકશાહી સિધ્ધાંતોને કચડી નાખ્યા. આપણે તે બધા મહાન નેતાઓને યાદ કરીએ, જેમણે કટોકટીનો પ્રતિકાર કર્યો અને ભારતીય લોકશાહીનું રક્ષણ કર્યું. #ડાર્કડેઝ ઓફ ઈમરજન્સી”
