શ્રીમદ ભાગવત સપ્તાહ ના આજે અંતિમ દિવસે (કથા પુર્ણાહુતી ) ગામ ધુમાડા બંધ સમૂહ પ્રસાદી નું ભવ્ય આયોજન કરાયું

પ્રાચી તીર્થ મા પંડ્યા પરિવાર દ્વારા બ્રહ્મ સમાજ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન તારીખ 18.5 2022 થી 24.5..2022 સુધી નૂ આયોજન કરાયું હતું જેમા સુરત નિવાસી જાણીતા કથાકારશાસ્ત્રી શ્રી જીતેશભાઈ શુક્લ દ્વારા કથાનું રસપાન કરાવ્યુ હતું આ શ્રીમદ ભાગવત સપ્તાહ મા નંદ ઉત્સવ તેમજ રહ કૃષ્ણ રૂકમણી વિવાહનું વગેરે પ્રસંગો નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આજે ભાગવત સપ્તાહ ના અંતિમ દિવસે પંડ્યા પરિવાર દ્વારા પ્રાચી કારડીયા સમાજ ધર્માલય ખાતે ગામ ધુમાડા બંધ સમૂહ પ્રસાદી નું આયોજન કરાયું હતું જેમાં અંદાજે 2000 લોકો એ પ્રસાદી નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી
