
રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ખાતે ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે વડતાલ સ્વામિનારાયણ મંદિર ના મુખ્ય કોઠારી સંત વલ્લભદાસ જી મહારાજ તેમજ સહાયક કોઠારી શ્યામ વલ્લભ સ્વામી મહારાજ તથા રાજુભાઈ પટેલે ચરોતર ગેસ ના નવા વરાયેલા ચેરમેન ધર્મેન્દ્રભાઈ જે પટેલ ને શુભેચ્છા પાઠવવા માટે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે આર્શિવચન લીધા હતા. ડૉ સંત વલ્લભદાસ જી મહારાજે ચેરમેન શ્રી ને કારકિર્દી યશસ્વી થાય તેમજ ચરોતર ગેસ તેના ઉદ્દેશો પ્રમાણે કામ થયી રહ્યું છે અને ચરોતર ગેસ ઉતરોતર પ્રગતિ કરે તેવા આશિર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ચરોતર ગેસ ના સ્થાપક ડિરેકટર દીપકભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા.
