
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે ગઈકાલે આપણે વ્યાખ્યાનમાં જીવનએ મ્યુઝિક પ્લેયર નથી પરંતુ એક રેડિયો છે,તેમાં જે પણ આવે છે,તેની સાથે મનોરંજન કરો.અરીસાને આત્મહત્યા કરવાનું મન થાય એટલું અસત્ય આપણામાં ભર્યું હોય છે.અનેકવાર આત્માનો અવાજ સાયલન્ટ મોડ પર મુકાયો છે.એ માટે જાતને સોરી કહેવા જેવું ખરું,પણ આપણે તો આપણી કોલરટ્યૂન વગાડ્યા કરીયે છીએ.. જાતને ઓળખવાનો પણ પ્રયત્ન ક્યાં કરીએ છીએ..!!!!! કોઈપણ વ્યક્તિ ગુસ્સે થઈ શકે છે – તે સરળ છે, પરંતુ યોગ્ય વ્યક્તિ અને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે અને યોગ્ય હેતુ માટે અને યોગ્ય રીતે મન સાથે દખલ કરવી અને સમજદારી પૂર્વક પ્રતિક્રિયા આપવી તે શાણપણ છે, અન્યથા મૌન શ્રેષ્ઠ છે. . તમારી જાતને કોતરો, આ દુનિયા પોતે જ તમને શોધી લેશે, જે જીવવાનું જાણે છે, કોઈપણ સુવિધા વિના પણ તમને પગાર મળશે જે જીવવું નથી જાણતો, તે બધી સગવડો હોવા છતાં દુઃખી થશે.જીંદગી કોઈ મ્યુઝિક પ્લેયર નથી જેમાં તમે તમારી પસંદના ગીતો સાંભળી શકો. જીવન એક રેડિયો છે, તેમાં જે પણ આવે છે, તેની સાથે મનોરંજન કરો.એ જ આજનો શોર્ટ અને શુભ સંદેશો છે.
