

રિપોર્ટ ,મયુર પટેલ
આગામી ૧૩ તારીખે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત સરકારના ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ મુકામે થી ભગવાન બિરસા મુંડા ગૌરવ યાત્રા અને ગુજરાત ગૌરવ યાત્રા નું પ્રસ્થાન કરાવવા માં આવશે. જે અનુસંધાને ૧૭૦ મહુવા વિધાનસભાના મહુવા તાલુકાના કાર્યકર્તાઓની ઉત્સાહ ભેર તૈયારી નો ઘેર શરૂ કરવામાં આવ્યો મહુવા તાલુકાની ચાર જિલ્લા પંચાયત બેઠકો ઉપર જિલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખ, ૧૭૦ મહુવા વિધાનસભાના પ્રભારી સુરેશભાઈ મકવાણા, મહુવા તાલુકા પ્રભારી અજીતસિંહ સૂરમાં, સુરત જિલ્લા ઉપપ્રમુખ તૃષાર પટેલ, સંગઠન પ્રમુખ હિતેશભાઈ નાયક, મહામંત્રી હેમંતભાઈ ચૌધરી, જગદીશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્યો,તાલુકા પંચાયત સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચ શ્રી ઓ ની ઉપસ્થિતિમાં ૧૩ મી તારીખના કાર્યક્રમની આયોજન બેઠક યોજવામાં આવી ..

