સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં મોરબી ઘટનામાં મૃત્યુ થનાર ના આત્માને શાંતિ માટે રામ ધુન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ…

રિપોર્ટ, મયુર પટેલ

ગુજરાતના છેવાડાના માનવી પ્રત્યેની સંવેદના ની અનુભૂતિ દ્વારા ચલાવતા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત પ્રજાના દુઃખ દર્દમાં સહભાગી રહીને પ્રજા હીત કાર્યોમાં
અગ્રેસર રહી પોતા ના ફરજો નિભાવી રહ્યા છે
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગુજરાત સરકાર દ્વારા મોરબી ની ઘટના એ દુઃખદ ઘટના ની અનુભૂતિ સાથે મૂર્તિ પામેલા પરિવાર પ્રત્યેની સંવેદના સતત જાગ્રત રહી ને સેવા કાર્યો તીવ્રગતિ એ થઈ રહ્યા છે
ગુજરાત રાજ્ય ના બધા જ જિલ્લા, તાલુકા મહાનગર ના અનેક સ્થાનો પર મોરબીમાં મૃત્યુ પામેલા ઓના આત્મા ને શાંતિ મળે તે માટે ઠેર ઠેર રામધૂન અને હનુમાન ચાલીસા ના પાઠ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં સમાજના મોટી સંખ્યામાં લોકો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત સ્ટેટ કોર્ડીનેટર શ્રી કૌશલભાઈ દવે અને તેમની ટીમ દ્વારા કાર્યક્રમ નું સફળ આયોજન કરી પ્રજા ની સાથે રહી સંવેદના વ્યક્ત કરી હતી…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *