


અમદાવાદ પશ્ચિમ પરપ્રાંતીય સંગઠન ના મુખ્ય સંગઠક શ્રી અંકિત સિંહ રાજપૂત તારીખ ૦૨/૧૨/૨૦૨૨ ના રોજ શ્રી કમલમ, ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબ ની માર્ગ દર્શિતામાં તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા ની ઉપસ્થિતિ માં પોતાના સંગઠન ના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટી માં વિધિવત રીતે જોડાયા. આ અવસર પર પ્રદીપસિંહ વાઘેલાએ અંકિત સિંહ રાજપૂત અને સંગઠનના હોદ્દેદારોનું સ્વાગત ખેસ અને ટોપી પહેરાવીને કર્યું.