
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવાના દત્તનગરના દત્તમંદિરમાં 31મી દત્તાજયંતીની ઉજવણી થશે.
ડાંગ જિલ્લાના આહવાનગરમાં આવેલ દત્તનગર ફળિયામાં આવેલ દત્તમંદિરમાં તારીખ 7/12/22ના રોજ દત્તજયંતી નિમિત્તે દત્તઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ગુરૂચરિત્રનુ પારાયણ, મહારાષ્ટની કિર્તનમંડળીનું કિર્તન થશે. ગામમાં દત્તભિક્ષાઝોળી ફેરવી એકત્ર થયેલ ફાળો, ઘનધાન્યમાંથી ભંડારો યોજાશે. તથા દર વર્ષની જેમ આ વર્ષ પણ આહવાના નગરજનો, ગામે ગામથી, તથા મહારાષ્ટ્રથી આવેલ દત્તભક્તો એક સાથે એક પંગતે મહાપ્રસાદનો લાભ લે છે.