પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં એક જાહેર સભામાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક જાહેર સભામાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ.ની અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂ. એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું; “નેલ્લોર, એપીમાં એક જાહેર સભામાં દુર્ઘટનાથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. PMNRF તરફથી દરેક મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *