
ગોધરા પ્રાથમિક શાળામાં દાતાઓ શ્રી અશ્વિનભાઈ માધવજી ચંદન અને ડીમ્પલબેન જીગરભાઈ ચંદન તરફથી શાળાની બાળકીઓને નવરાત્રિના પવિત્ર તહેવાર નિમિતે ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા હતા . આ પ્રસંગે મા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ભરતભાઈ બારૂ તરફથી શાળાના તમામ ૪૫૦ બાળકોને બાળકદીઠ ૬ ફુલસ્કેપ નોટબુક આપવાની જાહેરાત કરવામાં આવી હતી . આ પ્રસંગે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખશ્રી અરવિંદભાઈ જોષી , શ્રી ગોધરા જૈન મહાજનના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ મોતા , શ્રી ધીરેનભાઈ ગાલા , શ્રી મામદભાઈ સીદી , શ્રી સલીમભાઈ ચાકી , શ્રી ઉષાકાંતભાઈ પંડયા , હાસ્ય કલાકાર શ્રી પીયુષ મારાજ , શ્રી રાજેશભાઈ બુચિયા ઉપસ્થિત રહીને દાતાઓની દિલેરી અને ભાવનાને બિરદાવી હતી . પધારેલ સૌ મહેમાનોને શાબ્દિક આવકાર શાળાના શિક્ષિકા ધર્મિષ્ઠાબેન દેસાઈએ આપ્યો હતો . શાળા તરફથી દાતાશ્રીઓનું સાલ , પુસ્તક અને આભારપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું . દાતાઓ અશ્વિનભાઈ ચંદન , ડીમ્પલબેન ચંદન , ભરતભાઈ બારૂના વરદ્ હસ્તે મહિલા વાલીઓને ડ્રેસનું પ્રતિકવિતરણ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે શ્રી ચંદ્રકાંતભાઈ મોતાએ જણાવ્યું હતું કે ” અશ્વિનભાઈ અને તેમના પરિવારે બાળકીઓને ડ્રેસ આપીને નવરાત્રિના પાવન પર્વની સાચી આરાધના કરી છે . ” સંકલનકર્તાશ્રી અરવિંદભાઈ જોષીએ અશ્વિનભાઈ અને તેમના પરિવારના શિક્ષણ , આરોગ્ય અને સરહદે દેશની રક્ષા કરતા સૈનિકોની સેવા માટે હંમેશાશ્રી અશ્વિનભાઈચંદન પરિવાર ખુબ ઉપયોગી રહ્યાની વાત કરી હતી . ” બાળકો ઈશ્વરીય સ્વરૂપ છે . વિદ્યાદાનથી સમાજની તસવીર અને તાસીર બદલી શકાય છે ” એ વાત કરીને તમામ બાળકોને ૬ ફુલસ્કેપ નોટબુકની જાહેરાત મા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ભરતભાઈ બારૂ ( નરા , લખપત – કચ્છ ) એ જાહેરાત કરી હતી . કાર્યક્રમને સફળ બનાવવા ગોધરા ગ્રુપ શાળા સ્ટાફે જહેમત ઉઠાવી હતી . સહયોગી તમામ દાતાઓનો આભાર શાળાના શિક્ષિકા શ્રીમતી ડીમ્પલબેન સોનીગ્રાએ માન્યો હતો . સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય સતારભાઈ મારાએ કર્યુ હતું .
કમલમ દૈનિક, અજય ખત્રી


