રિપોર્ટ મયુર પટેલ

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત નો ચેતના વિસ્તાર 108 ગાયત્રી મહાયજ્ઞ સુરત જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન ગાયત્રી ચેતના કેન્દ્ર સુરત દ્વારા વિવિધ સંસ્કાર મહાયજ્ઞ ઋષિ સંદેશ દીપ મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો ચાર દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ
યુગ પરિવર્તન નો આ સમય છે ત્યારે સમગ્ર વિશ્વ વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહી છે જ્યાં વિજ્ઞાન લાચાર છે ત્યાં આધ્યાત્મક ની શરૂઆત થાય છે વિજ્ઞાન સમસ્યાનો ઉકેલ ન લાવી શકે તેનું નિરાકરણ આધ્યાત્મક થી જ થાય છે દરેક વિસ્તાર ગામમાં ગાયત્રી યજ્ઞ સહિત વિવિધ વિષયો સાથે કાર્યક્રમમાં સુરત જિલ્લાના કતારગામ રાખવામાં આવેલ
સુરત જિલ્લાના કતારગામ માં આવેલ મહાજન અનાથ બાળા આશ્રમ ગ્રાઉન્ડ તે ખાતે ચાર દિવસીય કાર્યક્રમમાં 108 મહા યજ્ઞ વિવિધ વિષયો સાથે માર્ગદર્શન પ્રવચન સહિત લોકોને સમાજેત રાષ્ટ્રહિતમાં સેવાકીય ભાવ જાગ્રત થાય અને આધ્યાત્મિક શક્તિ વધે તે દિશામાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ હવનનો લાભ લીધો હતો સાથે મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ ની વ્યવસ્થા પણ રાખેલી હતી
શાંતિકુંજ હરિદ્વાર થી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીના પ્રતિનિધિઓ આ ધર્મ કાર્યમાં સતત સક્રિય રહીને કાર્યક્રમ ખૂબ જ સફળ બનાવ્યો હતો.

