પંચમહાલ જિલ્લાના બાગાયતી ખેતી સાથે સંકળાયેલ ૧૫૦ ખેડૂતો માટે પ્રવાસનું આયોજન કરાયું

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ખેતીમાં નવીન ટેકનોલોજીની માહિતી મેળવશે

રિપોર્ટ, રાવ વિજેન્દ્ર યાદવ,કમલમ ન્યૂઝ-ગોધરા

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી નિલેષ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના બાગાયત વિકાસ માટે બાગાયતી ખેતી કરતા તથા બાગાયતી ખેતી કરવામાં રસ ધરાવતા ખેડૂતોને રાજ્ય બહારની જુદી જુદી સંસ્થાઓની મુલાકાત માટે મોકલવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના ૧૫૦ ખેડૂતો કુરુક્ષેત્ર સ્થિત સંસ્થા સહિતના સ્થળોની મુલાકાત લઈને તાલીમ મેળવશે. સદર મુલાકાતથી ખેડૂતો ગાય આધારિત ખેતી કરતાં થાય તથા તેઓની જમીન સુધરે અને ખેતી ખર્ચ ઘટે તે મુખ્ય ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવેલું છે.

આ ઉપરાંત પણ પંચમહાલ જિલ્લાના ખેડૂતો જુદા જુદા રાજ્યો અને યુનિવર્સિટી કેન્દ્રો ખાતે પણ મુલાકાત લેનાર છે તથા ત્યાંની નવીન ટેકનોલોજી શીખી અને જિલ્લામાં ખેતી કરતા થાય તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે તેમ બાગાયત અધિકારીશ્રી ગોધરા પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *