મંત્રી બલવંતસિંહ રાજપુતે મહાદેવ અને ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી

સિધ્ધપુરના ઐતિહાસિક સ્થળ બાવાજીની વાડી સિધ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં પારસ પીપળી પાસે ગોગા મહારાજના મંદિરે ચૈત્ર સુદ એકમના નવરાત્રીના પ્રથમ દિવસે પારસ પીપળી ગોગા મહારાજ ભક્ત મંડળ આયોજિત યજ્ઞ અને રમેલ (જાતર)ના ધાર્મિક કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે ઉપસ્થિત રહી મહાદેવ અને ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી. આ પ્રસંગે શંભુભાઈ દેસાઈ, કાનજીભાઈ દેસાઈ,મનીષભાઈ આચાર્ય, જશુભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, જે ડી પટેલ, ભરતભાઈ મોદી, કૌશલ જોશી, નિરંજનભાઈ ઠાકર, ચિન્કાભાઈ, હસમુખભાઈ પ્રજાપતિ, જયેશભાઈ પંડ્યા,અજીતકુમાર ગુરુ, રણજીતભાઈ ચૌહાણ, કમલેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં માલધારી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *