
અરવલ્લી જિલ્લામાં મોટી સંખ્યામાં વૈષ્ણવ બંધુ પોતાના ઈષ્ટદેવ શ્રીનાથજી ભગવાનના દર્શન માટે આવતાં જતાં હોય છે. જેના માટે અનુકૂળ સમયનું એસટી બસ રૂટનો હોવાથી મોડાસાના વિવિધ અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ માગણીને ધ્યાનમાં રાખીને બુધવારના રોજ મોડાસા થી નાથદ્વારા જતા શ્રધાળુઓ માટે આનંદના સમાચાર મળ્યા હતા. મોડાસાથી નાથદ્વારા ની બસને ભારતીય જનતા પાર્ટી મોડાસા શહેર પ્રમુખ રણધીરભાઈ ચુડગર, મહામંત્રી તારક પટેલ, ડેપો મેનેજર તેમજ સ્ટાફ સાથે રહી લીલી જંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. નાથદ્વારા જવા અને આવવા માટે બે બસો ફાળવવામાં આવી છે મોડાસાથી દરરોજ રાત્રે 11:00 વાગ્યે ઉપડી સવારે 04:00 વાગ્યે આ બસ નાથદ્વારા પોહચાડશે અને નાથદ્વારા થી રોજ સાંજે 04:00 વાગ્યે ઉપડી રાત્રે 11:00 વાગ્યે મોડાસા ઉતારશે. આમ શ્રદ્ધાળુઓ માટે નાથદ્વારા દર્શન કરી એક દિવસમાં પરત ફરી શકાશે. આ સ્લીપર કોચ બસની એક તરફ ની ટિકિટ 475/- રાખવામાં આવી છે આ બસ સેવાથી શ્રધાળુઓ એ જીએસઆરટીસીનો આભાર માન્યો હતો.